અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમને કારણે ગુજરાતનું હવામાન પલટાશે, શું છે આગાહી?
અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમને કારણે ગુજરાતનું હવામાન પલટાશે, શું છે આગાહી?
પ્રકાશિત
આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે એવી કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે.
હવામાન વિભાગના મૉડલ મુજબ એક સિસ્ટમ બની શકે છે, પરંતુ તે વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા નહિવત્ છે.
જો આ સિસ્ટમ બનશે તો પણ તે ગુજરાત તરફ આવવાને બદલે ઓમાન અને યમન તરફ ફંટાશે. તેથી ગુજરાતને કોઈ ખતરો નથી.
બીજી તરફ, ચોમાસું શ્રીલંકા અને અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ગુજરાતમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ દિવસ દરમિયાન ગરમી અને લૂનો પ્રકોપ યથાવત્ રહેશે.
વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



