ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામ પર અરવિંદ કેજરીવાલે શું કહ્યું

ઇમેજ સ્રોત, FB/Arvind Kejriwal
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં છે જેમાં ભાજપને વિજય મળ્યો છે, કેટલાક વિસ્તારોમાં કૉંગ્રેસ તો કેટલાક વિસ્તારોમાં આપને જીત મળી છે.
આપના પ્રદર્શન પર આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે, "ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં આપના તમામ વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. અમારા સેંકડો કાર્યકરો પર એફઆઈઆર કરવામાં આવી, જેલમાં નાખવામાં આવ્યા, છતાં પણ તેઓ મજબૂતીથી ચૂંટણી લડ્યા".
"આપે ગઈ વખતની સરખામણીએ લગભગ 10 ગણી વધુ સીટો જીતી."
"જે ઝડપથી ગુજરાતમાં આપ આગળ વધી રહી છે, એ જોઈને એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાતમાંથી કમળને ઉખાડવા માટે જનતા હવે ‘ઝાડૂ’ પર વિશ્વાસ કરી રહી છે."























